આજના પેપરમાં હેડલાઈન છે. ધોરણ 10 માં 2.5 લાખ વિદ્યાર્થી નાપાસ. ધોરણ 10 નું રીઝલ્ટ 63%. તમને આમાં કઈ અજુકતું લાગ્યું ? સરેરાશ રીતે પરિણામ આટલું જ આવતું હોય છે. એમાં નવાઈની વાત શું છે ? નવાઈ છે.
આ પરિણામ બાળકોનું નહિ પણ આપણી વ્યસ્વસ્થા, સરકાર અને સમાજનું છે. નાપાસ બાળક નથી થયું, પણ આ વ્યવસ્થા અને શિક્ષણ વિભાગ થયું છે. એક બાળક, જેને 12 વર્ષ સુધી શિક્ષિત, અનુભવી અને યોગ્યતા પ્રાપ્ત શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવતી હોય અને જયારે એના જીવનના 16 વર્ષે એ કેહવામાં આવે કે " યુ આર ફેઈલ " , કેવો અનુભવ થતો હશે, એ યુવાનીના ઉંબરે ઉભેલા વિદ્યાર્થીને ? પરિણામની સાથે જ દુનિયા એની સામે અનેક કારણો લઇને ઉભી હશે , અને તમામ માં દોષ વિદ્યાર્થીનો જ હશે. પણ એમાંનું એક કારણ એવું નહિ હોય જે કેહ્શે કે આમાં તારો દોષ નથી।
તમે એક વાત તો માનશો કે કોઈ બાળક જયારે જન્મે ત્યારે ઠોઠ નથી હોતું . એનામાં પણ એટલી જ ક્ષમતા રહેલી હોય છે કે જે અન્ય બાળકોમાં હોય. એ ઘડતર માટે તમામ રીતે વાલી, સમાજ અને વ્યસ્થા ઉપર નિર્ભર હોય છે. જો ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એમ કહી શકાય કે બાળક એક કોરા કાગળ જેવું હોય છે. એમા આકાર અને રંગ પુરવાનું કામ બીજા કરે છે. હવે જો ચિત્ર ખરાબ બને તો એમાં વાંક કાગળનો કે કલાકારનો ?
જયારે કોઈ કંપની પ્રોડક્ટ બનાવે ત્યારે એમાં ડીફેકટીવ પણ બને , પણ શું એનું પ્રમાણ આટલું મોટું હોય ? જયારે તે પ્રોડક્ટ બનવાની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે કોઈ એક સ્ટેપમાં જો કોઈ ખામી રહી જાય તો તેને સુધારીને પછીજ આગળ મોકલાય છે. જેથી કરીને અંતમાં જયારે પ્રોડક્ટ બને ત્યારે તેમાં કોઈ ખામીના હોય. જયારે આપણે કોઈ વસ્તુ ના ઘડતરમાં આટલા સક્રિય અને સજાગ હોઈએ તો એક માનવના ઘડતરમાં આટલી ખામીઓ કેવી રીતે ? વાંચતા લખતા નાં આવડતું હોય તેમ છતાં તેને સુધારવા અને શીખવાડવાને બદલે સ્કૂલ ત્તેને આગળના ધોરણમાં પાસ કરે. પછી તેજ વિદ્યાર્થી આગળના ધોરણમાં નબળો દેખાવ કરે કારણ કે તેનો 'પાયો' કાચો છે. આ પાયો કાચો રહી ગયો એમાં ભૂલ કોની ?
આજે જરૂર છે એક એવી વ્યવસ્થાની જેમાં દરેક બાળકની ક્ષમતા, ગતિ અને સમજ પ્રમાણે તેને શિક્ષણ મળે. ઓછા માં ઓછુ તેનો પાયો (વાંચન , લેખન , ગણિત ) તો મજબૂત હોવું જ જોઈએ. ભલે તેમાં 7 વર્ષ લાગે, 10 વર્ષ લાગે કે 15 વર્ષ લાગે. એ જ બાળકને જો પ્રાથમિકના એક જ ધોરણમાં બે વર્ષ ભણાવો પડે તો એ તૈયારી માબાપ , શિક્ષક અને વ્યવસ્થા એ કરી આપવી જોઈએ. જરૂરી નથી કે બધા બાળક સરખી ગતિએ શીખે અને ખીલે. જો પાયા મજબુત હશે તો ઈમારત કાચી નહિ પડે. કદાચ મોડી બને પણ પાક્કી બનશે.
જો આમજ, ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ફેલ થતા રેહશે, સમાજની મુખ્યધારાથી છુટતા રેહશે, તો આગળ જઈને આજ વર્ગ અરાજકતાનું કારણ બનશે.
શિક્ષણએ એક્માત્ર એવું પરિબળ છે સદીઓથી ચાલી આવતી અસમાનતા અને પછાતપણા ને દુર કરી શકે. મજબુત, સુખી અને શાંત સમાજનો પાયો શિક્ષણ જ હોઈ શકે એમાં કોઈ શંકા નથી.
આ પરિણામ બાળકોનું નહિ પણ આપણી વ્યસ્વસ્થા, સરકાર અને સમાજનું છે. નાપાસ બાળક નથી થયું, પણ આ વ્યવસ્થા અને શિક્ષણ વિભાગ થયું છે. એક બાળક, જેને 12 વર્ષ સુધી શિક્ષિત, અનુભવી અને યોગ્યતા પ્રાપ્ત શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવતી હોય અને જયારે એના જીવનના 16 વર્ષે એ કેહવામાં આવે કે " યુ આર ફેઈલ " , કેવો અનુભવ થતો હશે, એ યુવાનીના ઉંબરે ઉભેલા વિદ્યાર્થીને ? પરિણામની સાથે જ દુનિયા એની સામે અનેક કારણો લઇને ઉભી હશે , અને તમામ માં દોષ વિદ્યાર્થીનો જ હશે. પણ એમાંનું એક કારણ એવું નહિ હોય જે કેહ્શે કે આમાં તારો દોષ નથી।
તમે એક વાત તો માનશો કે કોઈ બાળક જયારે જન્મે ત્યારે ઠોઠ નથી હોતું . એનામાં પણ એટલી જ ક્ષમતા રહેલી હોય છે કે જે અન્ય બાળકોમાં હોય. એ ઘડતર માટે તમામ રીતે વાલી, સમાજ અને વ્યસ્થા ઉપર નિર્ભર હોય છે. જો ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એમ કહી શકાય કે બાળક એક કોરા કાગળ જેવું હોય છે. એમા આકાર અને રંગ પુરવાનું કામ બીજા કરે છે. હવે જો ચિત્ર ખરાબ બને તો એમાં વાંક કાગળનો કે કલાકારનો ?
જયારે કોઈ કંપની પ્રોડક્ટ બનાવે ત્યારે એમાં ડીફેકટીવ પણ બને , પણ શું એનું પ્રમાણ આટલું મોટું હોય ? જયારે તે પ્રોડક્ટ બનવાની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે કોઈ એક સ્ટેપમાં જો કોઈ ખામી રહી જાય તો તેને સુધારીને પછીજ આગળ મોકલાય છે. જેથી કરીને અંતમાં જયારે પ્રોડક્ટ બને ત્યારે તેમાં કોઈ ખામીના હોય. જયારે આપણે કોઈ વસ્તુ ના ઘડતરમાં આટલા સક્રિય અને સજાગ હોઈએ તો એક માનવના ઘડતરમાં આટલી ખામીઓ કેવી રીતે ? વાંચતા લખતા નાં આવડતું હોય તેમ છતાં તેને સુધારવા અને શીખવાડવાને બદલે સ્કૂલ ત્તેને આગળના ધોરણમાં પાસ કરે. પછી તેજ વિદ્યાર્થી આગળના ધોરણમાં નબળો દેખાવ કરે કારણ કે તેનો 'પાયો' કાચો છે. આ પાયો કાચો રહી ગયો એમાં ભૂલ કોની ?
આજે જરૂર છે એક એવી વ્યવસ્થાની જેમાં દરેક બાળકની ક્ષમતા, ગતિ અને સમજ પ્રમાણે તેને શિક્ષણ મળે. ઓછા માં ઓછુ તેનો પાયો (વાંચન , લેખન , ગણિત ) તો મજબૂત હોવું જ જોઈએ. ભલે તેમાં 7 વર્ષ લાગે, 10 વર્ષ લાગે કે 15 વર્ષ લાગે. એ જ બાળકને જો પ્રાથમિકના એક જ ધોરણમાં બે વર્ષ ભણાવો પડે તો એ તૈયારી માબાપ , શિક્ષક અને વ્યવસ્થા એ કરી આપવી જોઈએ. જરૂરી નથી કે બધા બાળક સરખી ગતિએ શીખે અને ખીલે. જો પાયા મજબુત હશે તો ઈમારત કાચી નહિ પડે. કદાચ મોડી બને પણ પાક્કી બનશે.
જો આમજ, ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ફેલ થતા રેહશે, સમાજની મુખ્યધારાથી છુટતા રેહશે, તો આગળ જઈને આજ વર્ગ અરાજકતાનું કારણ બનશે.
શિક્ષણએ એક્માત્ર એવું પરિબળ છે સદીઓથી ચાલી આવતી અસમાનતા અને પછાતપણા ને દુર કરી શકે. મજબુત, સુખી અને શાંત સમાજનો પાયો શિક્ષણ જ હોઈ શકે એમાં કોઈ શંકા નથી.